Posts Tagged ‘નસોતર’

નસોતર

ઓગસ્ટ 2, 2013

ઉપચાર યોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. આ માટે મારી પોસ્ટ ‘એક વીનંતી’ ખાસ જોવી.

નસોતર એ આયુર્વેદનું એક ઉત્તમ વીરેચક ઔષધ છે. કેમ કે એની કોઈ આડઅસર નથી. આથી કબજીયાતમાં એ નીર્ભયપણે લઈ શકાય. વળી નસોતર કફ-પીત્તના રોગો પણ મટાડે છે. તાવ, રક્તપીત્ત, હરસ, વીસર્પ – ગુમડાં, કમળો, ઉદર રોગો, ગેસ, ગોળો, કબજીયાત અને અપચામાં ઉપયોગી છે.

(૧) તાવમાં પા(૧/૪) ચમચી નસોતરનું ચુર્ણ દ્રાક્ષના રસ સાથે લેવું.

(૨) નસોતરનું પા ચમચી ચુર્ણ રક્તપીત્તમાં સાકર અને મધ  સાથે લેવું.

(૩) હરસમાં ત્રીફળાના ઉકાળા સાથે નસોતરનું પા ચમચી ચુર્ણ લેવું.

(૪) કમળામાં સાકર સાથે નસોતરનું પા ચમચી ચુર્ણ લેવું.

(૫) કબજીયાતમાં નસોતરનું પા ચમચી ચુર્ણ નવશેકા પાણી સાથે લેવું.