ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/
ટેંટુ : સંસ્કૃતમાં ટંટુક ઉપરથી ગુજરાતીમાં ટેંટુ શબ્દ થયો છે. ટેંટુ એ દશમુળમાંની એક વનસ્પતી છે. એની છાલ ઉત્તમ ઔષધ ગુણ ધરાવે છે. એમાં સોડીયમ સેલીસીલેટ્સ સારા પ્રમાણમાં છે. આથી એ સંધીવામાં ઘણું સારું ઔષધ છે. એ સ્વેદલ(પરસેવો લાવનાર) છે. એની છાલ પરસેવા દ્વારા શરીરમાંથી આમવીષને બહાર કાઢે છે. એ મુત્રાશયના રોગોનું ઉત્તમ ઔષધ છે.
(૧) એક ચમચી છાલનું ચુર્ણ એક ગ્લાસ પાણીમાં ઉકાળી અડધું બાકી રહે ત્યારે ઉતારી કપડાથી ગાળીને સવાર-સાંજ તાજું બનાવી પીવાથી સંધીવા મટે છે.
(૨) ટેંટુની છાલ મળને રોકનારી હોવાથી કબજીયાતવાળાએ એનો ઉપયોગ કરવો નહીં. અતીસારવાળા માટે તેનો ઉપયોગ સારો.