ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/
(૫૧) વીંછી કરડે, ઉંદર કરડે, મધમાખી કરડે, કોઈ જીવજંતુ કરડે અને સોજો આવી જાય, બળતરા થાય, દુખાવો થાય ત્યારે દંશસ્થાને વડનું દુધ લગાવવું.
(૫૨) ઝાડા સાથે લોહી પડતું હોય તો વડવાઈનો અગ્ર ભાગ અને તાજી કુંપળો પીસીને દુધમાં ઉકાળી તેનું સેવન કરવું.
(૫૩) ઝાડામાં વધુ પડતું લોહી પડતું હોય તો વડની કુણી વડવાઈને વાટીને પાણીમાં પલાળી રાખવી. બીજે દીવસે તેને ઉકાળવી. તેમાં ચોથા ભાગનું ઘી અને આઠમા ભાગે સાકર ઉમેરી ઘી પકવવું. ઘી પાકી જાય ત્યારે મધ સાથે સેવન કરવું.
(૫૪) ઉંડાં ઘારાં પડ્યાં હોય, કેમે કરી રુઝાતાં ન હોય, તેમાંથી પરુ નીકળતું હોય તો ઘારાંને સાફ કરી વડનાં કુણાં પાનને લસોટી ખુબ ઝીણી બનાવેલી ચટણી ઘારામાં ભરી પાટો બાંધવો.
(૫૫) સગર્ભા સ્ત્રીનો ગર્ભ બહુ ફરતો હોય તો વડની છાલનો ઉકાળો દુધ સાથે પીવો.
(૫૬) વાતાવરણની શુદ્ધી માટે એટલે કે ઘરમાંથી જીવજંતુઓનો નાશ કરવા વડની છાલનો હોમ કરવો.
(૫૭) વંધ્યા મહીલાને ગર્ભસ્થાપન માટે વડની કુંપળોનો ઉકાળો દુધ સાથે પાવો. અથવા કુણી કુંપળો કે વડવાઈની તાજી કુંપળો દુધમાં લસોટી નસ્ય આપવું.
(૫૮) પુશ્કળ ઝાડા થતા હોય તો વડનાં કોમળ પાન ખુબ લસોટી અડધો કપ રસ કાઢવો. રસથી બમણી છાસમાં સવાર-સાંજ પીવાથી ઝાડા મટી જાય છે. રસ તાજે તાજો જ વાપરવો.
(૫૯) વડની વડવાઈનું દાતણ કરવાથી હાલતા દાંત મજબુત થાય છે.
(૬૦) વડનું દુધ લગાડવાથી ખરજવું મટી જાય છે.