(૧) રાયણનાં પાન દુધમાં વાટી કલ્ક કરી મોં પર રાત્રે બાંધવાથી થોડા જ દીવસમાં મોં પરના કાળા ડાઘ મટી જાય છે.
(૨) મોં પર ખીલ કે બીજા કોઈ કારણે ડાઘા હોય તો વડની કુણી કુંપણોને મસુરની દાળ સાથે લસોટી લેપ કરવાથી મટે છે.
(૩) કેરીની ગોટલીને પથ્થર પર ઘસીને ચોપડવાથી મોંના ડાઘ મટી જાય છે.