ઉપચારોનીષ્ણાતનુંમાર્ગદર્શનલઈનેકરવા, અહીંઆઆપવાનોહેતુ માત્રમાહીતીનોછે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/
(૧) રસકપુરયુક્ત દવાના સેવનથી મુખપાક થયો હોય, દાંતનાં પેઢાં ઢીલાં થયાં હોય અને મોઢામાંથી લાળ પડતી હોય તો બોરડીની છાલ અથવા પાનનો ક્વાથ કરી કોગળા કરવાથી મટે છે.
(૨) જાસુદના ફુલનો રસ પીવાથી મોંમાંથી પડતી લાળ બંધ થાય છે.
(૩) ૧-૧ ચમચી ફુલાવેલો ટંકણખાર મધ સાથે મેળવી દરરોજ બે-ચાર કલાકના અંતરે નીયમીત લેવાથી મોંમાંથી લાળ ટપકતી બંધ થાય છે.
(૪) મોંમાંથી લાળ ટપક્યા કરે તો દાડમનાં સુકાં છોડાંનો પાઉડર બનાવી દરરોજ સવાર-સાંજ સાદા પાણી સાથે લેવો.
(૫) માજુના કાઢામાં ફટકડી કે કાથો નાખી અડધા લીટર જેટલું મીશ્રણ બનાવી દીવસમાં ચારેક વખત કોગળા કરવાથી મોંમાંથી લાળ પડવાની ફરીયાદ મટે છે. માજુફળ આપણે ત્યાં બધે મળે છે, અને પ્રમાણમાં સસ્તું પણ હોય છે.