Archive for નવેમ્બર 22nd, 2010

મોતીયો

નવેમ્બર 22, 2010

(૧) મોતીયાની શરુઆતમાં આંખમાં મધ આંજવાથી મોતીયો આગળ વધતો અટકે છે.

(૨) મોતીયો અટકાવવા આટલું કરવું જોઈએ. ૩૫-૪૦ વર્ષની વય પછી દુધ ઓછું લેવું. ઘી, તેલ, ચા, કોફી, ઠંડાં પીણાં, મીઠાઈઓ, તળેલી વસ્તુ, અથાણાં વગેરે નાછુટકે લેવું કે બંધ કરવું.

મગ, ભાત, ખીચડી, રોટલી, થુલી, ફળો તથા શાકભાજી (સરગવાના પાનની કે સુવાની ભાજી ખાસ) જેવો સાદો ખોરાક લેવો. કાકડી, ગાજર, મુળા, કોબી, કાંદા, મધ, લીલું કોપરું વગેરે પણ લઈ શકાય.

અઠવાડીયે એક ઉપવાસ કે એકટાણું કરવાં. ઉકાળેલું પાણી જ પીવું. તાંબાના લોટામાં રાખેલું કે લોહચુંબકીય જળ નરણા કોઠે સવારે પીવું. આંખો પર હથેળી મુકી ઢાંકી રાખવાનું બને તેટલું વધુ વખત કરવું. આ પ્રયોગો સતત કરતા રહેવાથી મોતીયો આગળ વધતો અટકશે કે કાચો હશે તો કપાઈ જશે.